પોરબંદરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રાષ્ટ્રીય ફરજ એવી વસ્તી ગણતરીની કામગીરીમાં હાજર ન રહેવા બદલ રોડ પ્રાથમિક શાળાના આચાર્ય પુનિતકુમાર પંડ્યાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.આચાર્ય સામે વોરંટ જારી કરી તેમની અટકાયત કર્યા બાદ તેમને મામલતદાર કચેરી ખાતે હાજર કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીને પગલે શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.


વસ્તી ગણતરીમાં હાજર ન રહેતા કાર્યવાહી

આ ઘટના અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને કલેક્ટરને રજૂઆત કરી છે. મહાસંઘ દ્વારા આચાર્ય સામેનું વોરંટ તાત્કાલિક રદ્દ કરવા અને શિક્ષકને સન્માનપૂર્વક શાળામાં કામ કરવા દેવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.બીજી તરફ, અટકાયત કરાયેલા આચાર્ય પુનિતકુમાર પંડ્યાએ પોતાનું નિવેદન આપતા શાળાની વાસ્તવિક અને કડવી સ્થિતિ મીડિયા સમક્ષ રજૂ કરી છે. 

શિક્ષકને મામલતદાર કચેરી હાજર કરાયા

તેમણે જણાવ્યું કે, અમારી શાળામાં સ્ટાફની ભારે અછત છે. મને ગણીને શાળામાં માત્ર બે જ શિક્ષકો છે, અને હાલ હું આચાર્ય તરીકેની પણ ફરજ બજાવી રહ્યો છું. શાળામાં શિક્ષકોની આટલી મોટી ઘટ હોય ત્યારે બાળકોનું શિક્ષણ બગાડીને આ સ્થિતિમાં વસ્તી ગણતરીની કામગીરી કેવી રીતે કરવી? આચાર્યના આ નિવેદન બાદ વહીવટી તંત્રના કડક વલણ અને શાળાઓમાં શિક્ષકોની ઘટની વાસ્તવિકતા વચ્ચે નવો વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચોઃ Kachchh News : આરોપી સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરતો, ઘરમાં જઈ દુઃખ દૂર કરવાના નામે રૂપિયા પડાવતો



  • Follow us on: