રાજકોટ શહેરમાં ફરી એકવાર નબીરાઓની બેફામ કાર ડ્રાઇવિંગને કારણે અકસ્માતની ગંભીર ઘટના બની છે. શહેરના સ્વસ્તિક સોસાયટી નજીક એક કાર ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર કાયદાના સકંજામાંથી બચવા માટે પોતાની કાર ઘટનાસ્થળે જ છોડીને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
શું નબીરાઓ માટે કાયદો નથી?













