રાજકોટની નવયુગ શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોત મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દીક્ષિત પટેલે ગંભીર નોંધ લેતા મહત્વનું નિવેદન આપ્યું છે. DEOએ સ્પષ્ટતા કરી હતી કે આ એક દિવસીય પ્રવાસ માટે શાળાએ અગાઉથી જાણ કરી હતી અને પ્રવાસ અંગે સરકારના ચોક્કસ પરિપત્રો પણ અમલમાં છે. જોકે, આ કરૂણ દુર્ઘટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી થઈ હોવાનું સામે આવ્યું છે. દીક્ષિત પટેલે ખાતરી આપી છે કે જો શાળાએ સુરક્ષાના પૂરતા નિયમોનું પાલન નહીં કર્યું હોય અથવા જરૂરી બંદોબસ્ત નહીં માગ્યો હોય, તો જવાબદારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.


— Sandesh (@sandeshnews) December 20, 2025 પરિપત્રનું પાલન થયું કે નહીં?

આ ઘટનાએ શાળાઓની પ્રવાસ આયોજનની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. DEOએ વધુમાં જણાવ્યું હતું કે, આ કિસ્સામાં ક્યાં ખામી રહી ગઈ છે તેની તપાસ કરવામાં આવશે અને જો બેદરકારી સાબિત થશે તો શાળા સંચાલકો દંડ કે શિક્ષાત્મક પગલાંથી બચી શકશે નહીં. આ દુર્ઘટના બાદ રાજકોટની તમામ શાળાઓને પ્રવાસ દરમિયાન વધુ તકેદારી રાખવા અને વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે સહેજ પણ બાંધછોડ ન કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. તપાસના અંતે કસૂરવારો સામે પગલાં લેવાની ખાતરી આપતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો : Morbi News : કાંતિ અમૃતિયાનું રૌદ્ર સ્વરૂપ, "નબળું કામ કરનાર એજન્સી સીધી બ્લેકલિસ્ટ થશે, ભ્રષ્ટાચાર નહીં ચાલે"


  • Follow us on: