રેલવે તંત્ર યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.


આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નં. 59206/59205 પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ 01.12.2025 થી લઈને 30.12.2025 સુધી પોરબંદર-ગોપજામ વચ્ચે ચાલશે અને ગોપ જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ રદ થવા:

ટ્રેન નં. 19209/19210 ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ 01.12.2025 થી લઈને 15.01.2026 સુધી લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર નહીં ઊભી રહે.

ટ્રેનમાં થયેલ સ્ટોન પેલ્ટિંગ કેસનો સફળ ઉકેલ –એક નાબાલિકની ઓળખ

24 નવેમ્બર, 2025ના રોજ રીબડા – ભક્તિનગર રેલ ખંડ વચ્ચે ચાલી રહેલી મુસાફર ટ્રેન સંખ્યા 19119 (ગાંધીનગર કેપિટલ – વેરાવળ એક્સપ્રેસ)ના ઑન-ડ્યૂટી ટ્રેન મેનેજર પર અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકવામાં આવતા તેમને ઈજા પહોંચી હતી તેમજ ટ્રેનને રીબડા સ્ટેશન પર 06 મિનિટ અને ગોંડલ સ્ટેશન પર 07 મિનિટ વિલંબ થયો હતો. આ ઘટનાને લઈને RPF જૂનાગઢ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad News : આ બાળકના પરિવાર માટે ડોકટર બન્યા ભગવાન સમા, રમતમાં બટન સેલ ગળી ગયેલા પાંચ મહીનાના બાળકને અમદાવાદ સિવિલના ડોક્ટર્સે બચાવ્યો


  • Follow us on: