રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રના બુલડોઝર ફરી વળ્યા છે. આ કામગીરી અંગે વિગતો આપતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર દબાણ હટાવવાની ઝુંબેશ નથી, પરંતુ ગુનેગારોના સામ્રાજ્યને તોડવાની કાર્યવાહી છે. જંગલેશ્વરમાં આજે સંપૂર્ણ દબાણ દૂર કરવાની સાથે ફેઝ-1 ડિમોલિશનનું કામ સફળતાપૂર્વક શરૂ કરી દેવામાં આવ્યું છે.
જંગલેશ્વરમાં આજે ડિમોલેશન કર્યું છે: સંઘવી
અસામાજિક તત્વોએ દાદાગિરીથી સરકારી પ્લોટ કબજે કર્યા હતા. ત્યાં આલીશાન ઘરો બનાવીને તેઓ ગરીબ લોકોને ભાડે આપતા હતા. મોટાભાગના રહીશો ત્યાં ભાડે રહેતા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન હત્યાનો પ્રયાસ, મારામારી અને જુગારના અડ્ડા ચલાવતા અનેક રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે.













