રાજકોટ DEO દ્વારા 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરાઇ છે અને તપાસ કમિટી રિપોર્ટના આધારે સ્કૂલ સામે પગલાં ભરશે, સાસણગીરમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મોત થયું હતું.
રાજકોટની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત થયાનો મામલો
સાસણના ગીર ગેટવે રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું અને સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના લીધે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો, આ સમગ્ર ઘટનાને લઈને ડીઈઓ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને ત્રણ સભ્યોની તપાસ કમિટીના રિપોર્ટના આધારે સ્કૂલ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.













