જામજોધપુર ભાજપ શહેર મંત્રીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પીને આપગાત કર્યો છે, જામજોધપુર ભાજપના મંત્રી પરેશ મગનભાઈ બકોરી કર્યો આપધાત, જામજોધપુર ટાઉનમાં ખરાવાડ નજીક પંચવટી નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા પરેશ મગનભાઈ બકોરી નામના 52 વર્ષના વેપારીએ તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું છે.
જામજોધપુર પોલીસે તપાસ હાથધરી
ભાજપ જામજોધપુર શહેર મહામંત્રીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા જામજોધપુરના રાજકીય વર્તુળમાં ચકચાર સાથે શોકની લાગણી વ્યાપી છે. જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેઢી ધરાવતા પરેશભાઈ મગનલાલ બકોરી (ઉ.વ.-૫૨) એ તારીખ ૨૯ મી નવેમ્બરની રાત્રે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેનું મૃત્યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.













