વડોદરા જિલ્લાના શિનોર ગામને મુખ્ય માર્ગ સાથે જોડતા રેલ્વે ગરનાળામાં આજે એક લોડેડ ટ્રક પલટી મારી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની બેદરકારીને કારણે રાહદારીઓને અને વાહનચાલકોને સતત ભોગ બનવાનો વારો આવ્યો છે.
ગરનાળામાં લોડેડ ટ્રક પલટી મારી ગઈ
આ રેલ્વે ગરનાળું બારેમાસ વિવાદનું કેન્દ્ર રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગરનાળામાં હંમેશા પાણી ભરેલું રહે છે અને પાણીની નીચે મસમોટા ખાડાઓ પડી ગયેલા હોય છે. ટ્રક પલટી મારવાનું પ્રાથમિક કારણ આ જ ખાડાઓ હોવાનું માનવામાં આવે છે.










