ડાયમંડ સિટી સુરતમાં ઠગબાજોએ હવે ભણેલા-ગણેલા તબીબોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી એક મહિલા તબીબ સાથે આયુર્વેદિક દવાના ધંધામાં ઊંચા વળતર અને રોકાણની લાલચ આપી રૂપિયા 58 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સરથાણા પોલીસે મુખ્ય સૂત્રધાર મુકેશ ઉકાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં મહિલા તબીબ સાથે 58 લાખની ઠગાઈ
મળતી માહિતી મુજબ, ઠગબાજ મુકેશ ઉકાણી મહિલા તબીબના મહિધરપુરા સ્થિત ક્લિનિક પર અવારનવાર આવતો હતો. વાતો-વાતોમાં તેણે મહિલા ડોક્ટરનો વિશ્વાસ જીતી લીધો હતો અને પોતે આયુર્વેદિક દવાના મોટા ધંધા સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. તેણે આ વ્યવસાયમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી.










