રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના વિધિવત શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. ભાજપે પોતાની રણનીતિ મુજબ 'ડોર ટુ ડોર' (ઘરે-ઘરે) જઈને પ્રચાર કરવાનું અભિયાન શરૂ કર્યું છે, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે.

બુથ લેવલની મજબૂતી પર ભાર

ભાજપ દ્વારા સુરત શહેરના તમામ વોર્ડ અને તમામ બુથ લેવલે આક્રમક પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પક્ષના કાર્યકરો અને આગેવાનો બુથ દીઠ ટીમો બનાવીને મતદારોના ઘર સુધી પહોંચી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને શહેરી વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાનો છે.

ઘર-ઘર જઈને સંપર્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વ્યક્તિગત સંપર્ક ખૂબ જ મહત્વનો હોય છે, તે વાતને ધ્યાનમાં રાખીને ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. કાર્યકરો ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે અને પક્ષની વિચારધારા તેમજ સિદ્ધિઓથી અવગત કરાવી રહ્યા છે. આ જનસંપર્ક અભિયાનમાં પેજ પ્રમુખો અને સ્થાનિક નેતાઓની મોટી ફોજ ઉતારવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, બેંગકોકથી લાવવામાં આવેલો 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત