સુરત કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘીએ સિસ્ટેમેટિક ઇન્ફોર્મેશન રિવ્યુ (SIR)ની કામગીરીને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે બાકી રહેલા મતદાતાઓને તાત્કાલિક ફોર્મ ભરીને પરત કરવા અપીલ કરી છે, અન્યથા તેમના મતદાર તરીકેના ફોર્મ રદ થઈ શકે છે.


સુરત કલેક્ટરનું SIR પર નિવેદન

કલેક્ટર સૌરભ પારઘીના નિવેદન મુજબ, અત્યાર સુધીમાં કુલ મતદાતાઓ પૈકી 73 ટકા લોકોએ જ પોતાના ફોર્મ ભરીને પરત કર્યા છે. જ્યારે, હજી પણ ૨૭ ટકા લોકોના ફોર્મ પરત આવવાના બાકી છે. આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ફોર્મ પરત કરનાર: 35,90,896 મતદાતાઓ, ફોર્મ પરત ન કરનાર (બાકી): 12,68,986 લોકો

11 તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં થાય તો રદ થશે

કલેક્ટર સૌરભ પારઘીએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે, "જે લોકો 11 તારીખ (ડિસેમ્બર) સુધીમાં પોતાના ફોર્મ પરત કરી શકશે નહીં, તેમના ફોર્મ રદ થશે." તેમણે બાકી રહેલા 12 લાખથી વધુ મતદાતાઓને છેલ્લા ૩ દિવસમાં તાત્કાલિક ફોર્મ ભરી પરત કરવા વિનંતી કરી છે. જો કોઈ વ્યક્તિ નિર્ધારિત સમય મર્યાદામાં ફોર્મ ભરી ન શકે અને તેમનું ફોર્મ રદ થાય, તો તેવા મતદાતાઓ માટે પણ એક અવકાશ છે. કલેક્ટરે જણાવ્યું કે, 16 તારીખ બાદ મતદાતાઓ પોતાના તમામ દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) સાથે મતદાતા તરીકેનો દાવો કરી શકશે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: