સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક નવદંપતીએ ગળેફાંસો ખાઈને સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. લગ્નના હજુ માંડ એક વર્ષના ટૂંકા ગાળામાં જ દંપતીએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
એક વર્ષ પહેલા જ બંધાયા હતા લગ્નગ્રંથિથી
મળતી માહિતી મુજબ, આ યુગલના લગ્ન માત્ર એક વર્ષ પહેલા જ થયા હતા. બંને પોતાના ઘરે સુખેથી જીવન વિતાવી રહ્યા હતા, પરંતુ અચાનક આજે કોઈ અગમ્ય કારણોસર પતિ અને પત્ની બંનેએ પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.










