સુરતના ઉધના રેલ સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ઉમટ્યા છે, વેઇટિંગ એરિયામાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી છે.
સુરતથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ઉમટ્યા
હોળી-ધુળેટીના પર્વને લઈ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવા માટે રવાના થયા છે, રેલવેના વેઇટિંગ એરિયામાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી છે અને વહેલી સવાર અને મોડી રાતથી મુસાફરો પહોંચ્યા છે, સુરતથી ઉત્તર પ્રદેશ જતી ખૂબ જ ઓછી ટ્રેન છે અને 16 થી 18 કલાકથી મુસાફરો વેઇટિંગ એરિયામાં બેઠા છે.













