બ્લાસ્ટ થતા દરવાજા-બારીના કાચ તૂટ્યા છે અને કામદાર બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે, તો બીજી તરફ મશીન, ટેબલ સહિતના સામાનને નુકસાન થયું છે અને આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી અને જ્વેલર્સના કારખાનામાં બ્લાસ્ટ થયો છે.
મશીન, ટેબલ, ખુરશી, વાયરીંગ સહિતના સામાનને નુકસાન
સુરતના રૂઢનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની બોટલમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી અને લોકો જીવ બચાવવા માટે દોડયા હતા, જોકે કામદારો બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નથી, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બારી-બારણાના કાંચ પણ તૂટી ગયા હતા, જોકે આગ ના લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, તો વાયરીંગને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.













