12મી માર્ચથી વધારાનો કાર્યભાર સંભાળશે અને 4 જુલાઈ 2014માં સુરત મનપાના કમિશનર હતા તોરવણે SIRને કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ નિયમિતપણે થઈ શકી નથી. જેના પગલે ચૂંટાયેલા જનપ્રતિનિધીઓને પ્રજાએ પાંચ વર્ષ માટે આપેલો મેન્ડેટ-અધિકાર પૂર્ણ થતા રોજિંદા વહિવટ-વ્યવસ્થા સંચાલન માટે સરકારે વહિવટદારોની નિયુક્તિ શરૂ કરી છે.
સુરતમાં 12મી માર્ચે મેયરની ટર્મ પૂર્ણ થાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવમી માર્ચે મેયર સહિત ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થાય છે. સુરતમાં ૧૨મી માર્ચે ટર્મ પૂર્ણ થાય છે. આથી, સરકારે આ બંને સંસ્થાઓમાં અનુક્રમે અધિક મુખ્ય સચિવ- ACS મુકેશ કુમાર અને અગ્રસચિવ મિલિંદ તોરવણેને જ્યાં ચૂંટણી ચૂંટણી ન થાય, નવા ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ કાર્યભાર સંભાળે નહી ત્યાં સુધી 'વહિવટદાર'ની જવાબદારી સંભાળવા આદેશો કર્યા છે. આ બંને મહાનગરો ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ છ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ સિનિયર IAS ઓફિસરોને વહિવટદાર તરીકે નિયુક્તિ થઈ છે.













