દક્ષિણ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીય શ્રમિકો અને પરિવારો વતનમાં જવા માટે ઉધના રેલવે સ્ટેશનનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે. આ વખતે મુસાફરોની સંખ્યા એટલી હદે વધી છે કે રેલવેએ ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાની માતબર આવક રળી છે.

માત્ર એક મહિનામાં 4 લાખથી વધુ પ્રવાસીઓ

પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા માત્ર 30 દિવસમાં ઉધના સ્ટેશનથી અંદાજે 4.17 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. આ પ્રવાસીઓના ધસારાને કારણે પશ્ચિમ રેલવેને અંદાજે 10.10 કરોડ રૂપિયાની મસમોટી આવક થઈ છે. જે દર્શાવે છે કે ઉધના સ્ટેશન સુરત રેલવે સ્ટેશનના વિકલ્પ તરીકે અત્યંત સફળ રહ્યું છે.

એક દિવસનો રેકોર્ડ 25 હજાર મુસાફરો

ખાસ કરીને 19મી એપ્રિલના રોજ ઉધના સ્ટેશન પર મુસાફરોની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. માત્ર એક જ દિવસમાં 25,000 થી વધુ મુસાફરો ઉધનાથી ઉત્તર ભારત જવા રવાના થયા હતા. મુસાફરોની આ ભીડને સંભાળવા માટે રેલવે તંત્રએ વિશેષ આયોજન કરવું પડ્યું હતું.

આ પણ વાંચો: Surat: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મેંગો શેક અને આઇસ ડિશના વેપારીઓને ત્યાં દરોડા, હાનિકારક કલર ઝડપાયા