મુળી તાલુકાના કળમાદ ગામે રહેતા વિઠ્ઠલભાઈ અમરાભાઈ કણઝરીયા ગત તા. 13-12-2017ના રોજ બપોરના સમયે વાડીએથી ઘર તરફ આવતા હતા.
ત્યારે 6 માસ પહેલા રસ્તામાં પાણી ઢોળાવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી ગામના ઘનશ્યામ અમરશીભાઈ રાઠોડ અને લાખા શીવાભાઈ રાઠોડે એક સંપ કરી લોખંડના પાઈપ અને સોરીયા વડે વિઠ્ઠલભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં તેઓને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે મુળી પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ નોંધાઈ હતી.










