ઝાલાવાડમાં જુન માસના અંત સુધીમાં માત્ર સીઝનનો 5 ટકા જ વરસાદ થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય વાઘજીભાઈ ભરવાડે મંગળવારે જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી છે. જેમાં સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કેટલ કેમ્પો ખોલવા માંગ કરાઈ છે. હાલ લીલા ઘાસચારાનો ભાવ 150થી 170 અને સુકુ કડબ મણના 300 થી 350 ભાવે મળે છે. ત્યારે સરકાર દ્વારા ઘાસડેપો ખોલી માલધારીઓ અને પશુપાલકોને વિનામૂલ્યે ઘાસચારો આપવા માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો