મુલ્ય આધારીત શિક્ષણના ભાગરૂપે લીંબડી કેળવણી મંડળ સંચાલીત એસ.એમ.દવે હાઈસ્કૂલના છાત્રોમાં ઉત્તરાયણ પર્વે જાગૃતત કેળવવા માનવ સાંકળનું આયોજન કરાયુ હતુ. જેમાં છાત્રોએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા, ગગનવિહારી વિહંગોને ધ્યાને લઈ વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવા અને દાન-પુણ્ય કરવાના શપથ લીધા હતા. આ તકે શાળાના આચાર્ય ડો. હિતેશ પંડયા સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા









