કાર્યક્રમ બપોરે ૩-૩૦ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગોના કુલ રૂ.૫૩૯.૨૬ કરોડના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ ૩૩ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થશે
આ અવસરે વિવિધ વિભાગો હેઠળના પ્રકલ્પોમાં મુખ્યત્વે રૂ. ૪૫૭.૨૧ કરોડના ખર્ચે ૨૫ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ.૨૩૩.૩૪ કરોડના ૨૩ કામો તથા માર્ગ અને મકાન વિભાગના રૂ.૨૨૩.૮૭ કરોડના ૨ મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કાર્યોથી સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થશે. લોકાર્પણની વિગતો જોઈએ તો, કુલ રૂ.૮૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૮ જેટલા પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે.
