સુરેન્દ્રનગરના સી.યુ.શાહ મેડીકલ હોલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લાકક્ષાના 2 અને તાલુકા કક્ષાના 3 શિક્ષકોને મહાનુભાવોના હસ્તે પારીતોષીક વિતરણ કરાયા હતા. આ તકે 100 ટકા પરિણામ લાવનાર શાળાઓ અને વિષય શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીએ શિક્ષક દિવસ ઉજવાય છે. ત્યારે જિલ્લા શિક્ષણાધીકારી કચેરી દ્વારા શહેરના મેડિકલ હોલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કલેકટર જી.એચ.સોલંકી, જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, નાયબ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી ડો. ભદ્રરાજસિંહ વાઘેલા, ડાયેટના પ્રાચાર્ય ડો. સી.ટી.ટુંડીયા, શિક્ષણ નીરીક્ષક કે.એન.બારોટ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.

જેમાં જિલ્લાકક્ષાના પારીતોષીક વિજેતા મુળી તાલુકાના તુષારકુમાર હાલાણી અને દશરથસિંહ પરમાર, તાલુકા કક્ષાએ સાયલાના રેશ્માબેન રાઠોડ અને ગીરીશકુમાર રાઠોડ, લખતરના જૈમીની પટેલને પીરતોષીક, હાલ, ચેક અને સન્માનપત્ર આપી સન્માનીત કરાયા હતા. જયારે 100 ટકા પરિણામ લાવનાર શાળાઓ અને વિષયો શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં એસ.પી. પ્રેમસુખ ડેલુએ આઈપીએસ થયા પહેલા પોતાના 5 વર્ષના શિક્ષક તરીકેની ફરજ દરમીયાનના સંસ્મરણો રજુ કરી પોતાના ગુરૂજનોને યાદ કર્યા હતા. અને હાલના સમયમાં નશાનું દુષણ શાળા-કોલેજ સુધી પહોંચ્યુ છે તેવા સમયે શિક્ષકો પોલીસ કરતા વધુ પ્રભાવશાળી ભુમીકા ભજવી બાળકોને આ દુષણથી બચાવી શકે તેમ હોવાનું જણાવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો