તાલાલા તાલુકાના રમળેચી ગીર ગામના સ્વ.કિરણબેન વિનુભાઈ રાદડિયાના સ્મરણાર્થે ગામની શ્રીવલ્લભ ગૌશાળામાં રહેતી ગૌમાતાઓ તથા અન્ય અબોલ જીવોને પીવાના પાણી માટે બંધાયેલ નવનિર્મિત અવેડા માટે રૂ.બે લાખ 21 હજારનું દાન અર્પણ કર્યું છે.
રમળેચી ગામની શ્રી વલ્લભ ગૌશાળા અંદાજે 100 જેટલી ગાયોનો નિભાવ કરે આવે છે.ગૌશાળાની ગૌમાતા તથા અન્ય જીવો માટે ઉનાળા પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા ગામની વાગડીયા સીમમાં નવનિર્મિત અવેડા નું નિર્માણ થયું છે. આ ગૌસેવા કાર્યમાં વિનુભાઈ રાદડીયા દ્રારા દાન અર્પણ કરવામાં આવ્યું હતું..ગૌ સેવાના પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ દાતાનું ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,વરિષ્ઠ અગ્રણી છગનભાઈ કણસાગરા,સરપંચ જશકુભાઈ મુયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.










