ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકને સત્તાવાર રીતે ખાલી જાહેર કરવામાં આવી છે. આ બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા નિયમ મુજબ આ બેઠક પર પ્રતિનિધિત્વ શૂન્ય થયું હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન
ઉમરેઠ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના પીઢ નેતા અને ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું ગત 6 માર્ચના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી સમગ્ર ઉમરેઠ પંથક અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ધારાસભ્યના અવસાનના પગલે વિધાનસભામાં પણ એક સ્થાન ખાલી પડ્યું હતું.










