વડોદરા શહેર નજીક આવેલા અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાનો મકરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે છાપો મારીને કૂટણખાનાની મહિલા સંચાલક સહિત 13 જેટલા ગ્રાહકોને ઝડપી પાડ્યા છે.


અમદાવાદ-સુરત હાઇવે પર ચાલતું હતું કુટણખાનું

મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે, હાઇવેની નજીક ઝૂંપડાઓ બનાવીને ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. સંચાલકો બહારથી સ્ત્રીઓને લાવીને તેમની પાસે દેહ વ્યાપાર કરાવતા હતા. બાતમીના આધારે મકરપુરા પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન, કૂટણખાનું ચલાવતી મહિલા સંચાલક અને ત્યાં હાજર 13 જેટલા ગ્રાહકો પોલીસના સકંજામાં આવી ગયા હતા.

મહિલા સંચાલક સહિત 13 ગ્રાહકોને પોલીસે ઝડપ્યા

પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ 'અનૈતિક વ્યાપાર અટકાવવાના અધિનિયમ' હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદેસર ધંધાના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની તપાસ માટે મકરપુરા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. હાઇવે પર ચાલતા આ પ્રકારના અનૈતિક વ્યાપારને ડામવા માટે પોલીસે આ એક મોટી અને સરાહનીય કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની મતદારોને અપીલ, SIR ફોર્મ ભરવામાં આળસ ન કરો, મતદાન તમારો અધિકાર

  • Follow us on: