ખરાબ વાતાવરણ અને ધુમ્મસમાં પણ ટ્રેનો હવે સુરક્ષિત રીતે દોડશે અને ​ભારતીય રેલવેની સુરક્ષા માટે 'કવચ 4.0' સિસ્ટમ હવે કાર્યરત છે, ​પશ્ચિમ રેલવેના બાજવા-અમદાવાદ સેક્શન (96 કિમી) પર સુરક્ષા કવચ સક્રિય કરવામાં આવ્યું છે અને હવે માનવીય ભૂલને કારણે થતા રેલ અકસ્માતો ભૂતકાળ બની જશે.


ભારતમાં બનેલી આ 'કવચ 4.0' ટેકનોલોજી ટ્રેનોની સામસામે થતી ટક્કર રોકશે

રેલવેમાં મુસાફરોને સુરક્ષાની સૌથી વધુ મહત્વની ગણવામાં આવતી હોવાથી ટ્રેન અકસ્માત નિવારવા માટે કવચ સુવિધા વડોદરા ડિવિઝનના બાજવા થી અમદાવાદ વચ્ચે 96 km માં કાર્યરત કરી દેવામાં આવી છે, કવર સિસ્ટમ બે ટ્રેનો વચ્ચે નીકળતા શોધી કાઢે છે એક જ લાઈન ઉપર એકબીજા તરફ ટ્રેન આવતી હોય ત્યારે ટ્રેનને આપમેળે બ્રેક લાગુ કરે છે તે ઓપરેટર અથવા તો લોકો પાયલોટ ને ટ્રેન નો કંટ્રોલ લેવા માટે પણ એલર્ટ કરે છે.

એક જ પાટે બે ટ્રેનો આવી જશે તો પણ જોખમ ઘટશે

પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત કરાઈ છે 96 કિલોમીટરના આ રેલવે લાઇન પર હવે અકસ્માત થવાની શક્યતા લગભગ નહીવત થશે, કવચ સિસ્ટમને સલામતી અખંડિતતા માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે કવચને વિશ્વમાં ઉપલબ્ધ સૌથી સસ્તી એટીપી સિસ્ટમ તરીકે પ્રમોટ કરવામાં આવી છે, લોકો પાયલેટ ભૂલ કરે કે રેડ સિગ્નલ પાર કરવાની ના છૂટકે નોબત આવે તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવે છે એટલે કે તે ટ્રેક સિગ્નલ અને ટ્રેન વચ્ચે સતત સંવાદ સાથે છે જો એક જ પાટા પર બે ટ્રેનો આવી જાય તેવી સ્થિતિ હોય તો પણ તે જોખમ પણ કવચ ઘટાડી દે છે.


આ પણ વાંચો : Agriculture News : 2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં લગભગ 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું



  • Follow us on: