વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ખંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં શાકભાજી રાખવાના અને ધોવાના ગંભીર મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ માર્કેટમાં જ મ્યુનિસિપલ કમિશનર અને મેયરની કચેરી આવેલી છે, છતાં શૌચાલયમાં જ શાકભાજી રાખવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે ચકચાર મચી ગઈ હતી.
વીડિયો વાયરલ બાદ તુરંત પગલાં
ગત રોજ ખંડેરાવ શાક માર્કેટના સુલભ શૌચાલયની અંદર શાકભાજીનો જથ્થો મૂકાયો હોવાનો અને કેટલાક વેપારીઓ દ્વારા શૌચાલયમાં જ શાકભાજી ધોવાની ફરિયાદ મળી હતી. આ મામલાનો વીડિયો વાયરલ થતાં જ VMCનું તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક પગલાં લેતા માર્કેટ સુપ્રિન્ટેન્ડેન્ટે સુલભ શૌચાલયને તુરંત સીલ મારી દીધું હતું, જે આજે પણ સીલ મારેલી હાલતમાં છે.










