શિનોર-સાધલી : સાધલી મુકામે શ્રી કેળવણી મંડળ સંચાલિત એસ.સી .એ.પટેલ આર્ટસ કોલેજ ખાતે તા. 21ને શુક્રવારે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરાઇ હતી. કોલેજના આચાર્ય ડૉ એ.વી.દવેએ ઉદ્યોગ સાહસિકતા અંગે પરિચય આપ્યો હતો. ડૉ.કે.વી.વસાવાએ ઉદ્યોગ સાહસિકતા દ્વારા ગ્રામીણ વિસ્તારમાં વિવિધક્ષેત્રે રોજગારી અને આવક અંગે પ્રવર્તમાન સમયમાં ઉદ્યોગોનું મહત્વ, તેની સ્થાપના તેમજ ઉદ્યોગ સંચાલન અંગે 60થી વદુ વિદ્યાર્થીને વાકેફ કર્યા હતા. ડૉ.ઘનશ્યામ લક્કડે આભાર માન્યો હતો.
