પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં પાદરા સ્થિત વિઠ્ઠલનાથજી હવેલી મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોની શ્રોણી અંતર્ગત અધિક વદ છઠના પાવન દિવસે ભવ્ય કેરી મનોરથ યોજાયા હતા. જે પ્રસંગે આશરે 1100 કિલો કેસર કેરી તથા અંદાજે 5000 વિવિધ જાતની કેરી વડે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીને મનોરથરૂપે અર્પણ કરાયા હતા.
મંદિરમાં મહાપુરુષ શ્રી મહાપ્રભુજીનું પવિત્ર સ્વરૂપ પધરાવાયું હતું. મંદિરના મુખ્યાજી જીતુભાઈના માર્ગદર્શન હેઠળ સમીર શાહ, ધવલ ચોકસી, નિકુંજ ચોકસી, શિલ્પન ચોકસી, જીગ્નેશ ચોકસી તથા સમસ્ત વૈષ્ણવ યુવા સંગઠન ટીમ દ્વારા આ ભવ્ય કેરી મનોરથ યોજાયા હતા. જે પ્રસંગે શરણમકુમાર મહોદય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.










