નસવાડી : નસવાડી ગામે આવેલ ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠ ખાતે તા. 16ના રોજ દ્વિતીય એક દિવસીય મૌન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયેલી આ મૌન શિબિરમાં કુલ 63 ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો, જેમાં 23 બહેનો અને 40 પુરુષો જોડાયા હતા. શિબિર દરમિયાન ઉપસ્થિત સાધકોએ મૌનનું પાલન કરી ધ્યાન, આત્મચિંતન તથા આધ્યાત્મિક સાધનાના માધ્યમથી આંતરિક શાંતિનો અનુભવ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો