પાવી જેતપુર : પ્રસિદ્ધ જૈનાચાર્ય અશોકસાગર સુરીધરજી મ. સા. પોતાના પાંચ આચાર્યો સાથે 10 મુનિ મહારાજ સાથે તા.28ના રોજ પાવી જેતપુર સંઘમા પધાર્યા હતા. જૈનશ્રાવક દ્વારા અગાવાની કરી સ્વાગત કર્યું હતું. પાવી જેતપુરમા આવેલ જૈન દેરાસર દર્શન કરી સનરાઈઝ સ્કૂલમાં મ.સા.નો સ્થિરવાસ થયો હતો. પૂ. પ્ર.પ્ર. આચાર્ય સાગરચંદ્ર સાગર સુ. મ. સાહેબે જણાવ્યું હતું કે, વૈશ્વિક વ્યવસ્થાનું આધારસૂત્ર છે. વસુધૈવ કુટુંબક આ સૂત્ર માત્ર; માનવ પૂરતું સીમિત નથી. પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથેના સંબંધનું સૂત્ર છે. જીવ માત્ર સાથે આત્મવત ભાવ કેળવવા જોઈએ. ભાવ જીવનમાં, વિચારમાં, આચરણમાં લાવવા માટે 'અહિંસાક્ર એ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો