કરજણ તાલુકાના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા ડભોઇ ખાતે જવું પડતુ હતું. ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડ પરીક્ષામાં હાલાકીનો સામનો કરવો પડતો હતો.
જે અંગે રજૂઆત એકતા મંચના અધ્યક્ષ મીનેશ પરમારને કરતા એકતા મંચના અધ્યક્ષસ્થાને ગત તા.12 ડિસેમ્બરે વડોદરા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં વહીવટી અધિકારી એસ.બી.સંગાડા અને શિક્ષણ ઇન્સ્પેક્ટર અધિકારી બી.જે.વણઝારાને રૂબરૂ મળીને લેખિત તથા મૌખિક રજૂઆત કરી કે મારા તાલુકાના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા આપવા માટે ડભોઇ ખાતે જવું પડે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમય અને નાણાંનો વ્યય થાય છે. પરીક્ષાનો મહત્વનો સમય આવવા જવા માં વેડફય જાય છે. દર વર્ષે વિધાર્થીઓ અને વાલીઓ બોર્ડ ની પરીક્ષા માટે પારાવાર મુશ્કેલી વેઠી પડે છે.










