માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા સતત ચોથા વર્ષે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવાર નિમિત્તે પાદરાથી 400થી વધુ શિવભક્ત કાવડિયાઓ કાવી કંબોઈ ખાતે આવેલા પવિત્ર શ્રી સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરવા રવિવારે કાવડ સાથે પ્રસ્થાન કર્યું હતું.
કાવડ યાત્રાનો પ્રારંભ પાદરા ખાતે ખત્રી મહારાજના મંદિરેથી કરાયો હતો. આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસ મહારાજ ઉપસ્થિત રહી કાવડિયાઓને આશીર્વચન પાઠવ્યા હતા. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા માંજલપુરના ધારાસભ્ય સતીશ પટેલ સહિત મારુતિ સિરામિકના હિતેષ પટેલ અને દીપ ઇલેક્ટ્રોનિક્સના દિલીપ ઘડિયાળી સહિતના મહાનુભાવો દ્વારા કાવડિયાઓનું સ્વાગત કરી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
