વડોદરાના કરજણમાં કંડારી ગામે ખાનગી બસે પલટી મારતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, બસ કૂદીને ખેતરમાં ઘૂસી ગઈ હતી અને પલટી મારી હતી, તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોઈ શકે છે, તો પોલીસે પણ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વડોદરાથી સુરત તરફ જતી બસને નડ્યો અકસ્માત
કરજણ ને.હા 48 ઉપર કંડારી ગામ પાસે ખાનગી બસે પલટી મારતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને કંડારી પાસે ડિવાઈડર કૂદીને બસ ખેતરમાં ઘૂસી હતી, વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, વડોદરાથી ભરૂચ રોડ ઉપર સુરત તરફ જતી બસનો સર્જાયો અકસ્માત, તો ઈજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે ખસેડાયા છે.













