વલસાડમાં શ્રી ગણેશ મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આયોજકો, ડીજે સંચાલકો અને એકતા સમિતિના સભ્યોની સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી.
બેઠકમાં રજૂ થયેલા સૂચનો બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે આયોજકોને મંડળના પંડાલમાં, પંડાલની બહાર અને પાર્કિંગ સ્થળ મળી ત્રણ સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા ફિટ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે આયોજનના સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થિત રીતે થાય તે માટે, સ્વયંસેવકોની ટીમ દર્શનાર્થીઓ હાજર રહે ત્યાં સુધી તૈનાત રાખવા સૂચન કર્યું હતું.
