ઊંઝા APMC સર્કલ પર પસાર થતા સ્ટેટ હાઇવે SH-41 નવીન બ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. થોડા ઝરમર વરસાદમાં બ્રીજ પર ગાબડું પડતા હલકી ગુણવત્તાના કામકાજનો પૂર્વ નગરસેવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓવર બ્રિઝ પરથી અનેક મોટા વાહનો પસાર થતા હોય છે. પૂર્વ નગરસેવકે તાત્કાલિક સમારકામ કરી જવાબદારો સામે પગલા ભરવા મુખ્ય સચિવને પત્ર લખી માંગ કરી છે..
નવીન બ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી













