ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ છે અને શિયાળાનું આગમન થઈ રહ્યું છે. દિવાળીના દિવસોમાં પણ માવઠાએ મુશ્કેલી વધારી છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં માવઠુ થવાની આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં ઘટાડાની પણ શક્યતાઓ છે.
રાજ્યમાં માવઠા અંગે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ગાજવીજ સાથે રાજ્યમા હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. જ્યારે રાજ્યમાં ચાર દિવસમાં લઘુતમ તાપમાનમાં પણ બે ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ છે.દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે.













