વલસાડ જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે જ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા જિલ્લાના 30 થી વધુ માર્ગો બંધ થયા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બંધ કરાયેલા રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મધુબન ડેમની સ્થિતિ
ઉપરવાસમાં વરસાદને કારણે મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવું પડ્યું છે. વર્તમાન સપાટી: ડેમની સપાટી 79.30 મીટર પર પહોંચી છે. ડેમના 9 દરવાજા 1.20 મીટર જેટલા ખોલીને 53,165 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.













