અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા મેયરના દાવાઓ અને પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિસ્તારની દર્શન સોસાયટીમાં ચોમાસાની સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, મેયર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવ્યાના પૂરા 40 કલાક વીતી જવા છતાં સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારીના કારણે સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઘૂંટણ સમા પાણીથી જનજીવન પ્રભાવિત
સોસાયટીના અંદરના ભાગો અને રસ્તાઓ પર હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. પાણી ભરાવાના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી અને રોજિંદા કામકાજ ઠપ થઈ ગયા છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે પાણી ખાલી કરવાના દાવાઓ પોકળ સાબિત થયા છે, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
