ગુજરાતમાંથી ચોમાસું હવે આખરી તબક્કામાં પહોંચ્યું છે અને ટૂંક સમયમાં જ મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી તાજેતરની મહત્વની આગાહી અનુસાર, આગામી 2થી 4 દિવસમાં રાજ્યમાંથી વિધિવત રીતે ચોમાસું વિદાય લેવાની સત્તાવાર શરૂઆત થઈ જશે. જોકે વિદાયની ઘડીઓ વચ્ચે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે.
લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સર્જાયેલું લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાને કારણે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના జిલ્લાઓમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

