નર્મદા જિલ્લામાંથી સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ કાઠિયાવાડ અને સમગ્ર ગુજરાતમાં જાય છે. જિલ્લાના ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. રાજ્યના 13 લાખ ધરતીપુત્રોને 15 મેથી સિંચાઇના પાણી મળશે તેવી મુખ્યમંત્રીની જાહેરાત છતાં નર્મદાના બે તાલુકાના 10 હજારથી વધુ ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. બે તાલુકાના ખેડૂતો અને લોકોમાં આક્રોશ અને ગુસ્સો જોવા મળે છે. સત્વરે સિંચાઈના પાણી મળે એવી ખેડૂતોએ માંગણી કરી છે.


ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલો છે. નર્મદા જિલ્લાના લોકોએ જમીનો ગુમાવી છે. અને બાળકોનું ભવિષ્ય સુધરશે એમ વિચાર્યું હતું. પરંતુ કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સિંચાઈ માટે નર્મદાના પાણી જાય છે. જ્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને પાણી મળતું નથી ? નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના વાડીયા બ્રાન્ચ કેનાલમાંથી પાણી મળતું હતું. પરંતુ હાલ મુખ્યમંત્રીના આદેશને જાણે નર્મદા કેનાલ નહેરના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય એમ કેનાલોમાં નહેરોમાં પાણી છોડવા તૈયાર નથી ? ખેડૂતો ડિમાન્ડ કરતા નથી. એટલે પાણી નથી છોડવામાં આવ્યું તેવી વાતો કરે છે ત્યારે મુખ્યમંત્રીના હુકમનું શું ?

ગત વર્ષે સારો વરસાદ પડતા હાલ નર્મદા ડેમ 52 ટકા ભરેલો છે. ત્યારે જે પાણીથી સરકાર રાજ્યના 207 જળાશયોમાં પાણી ભરીને રાજ્યના ખેડૂતોને પાણી આપે છે. ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને અન્યાય કેમ ? માટે સરકાર સામે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂતો માગ કરી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, અમે જિલ્લા કક્ષાએથી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છતાં પણ કોઈ સાંભળતું નથી.

સરદાર સરોવરમાં 53%થી વધુ પાણીનો જથ્થો

રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 40.81ટકા જળ સંગ્રહ હતો. ચાલુ વર્ષે આગામી ચોમાસાનું આગમન થવા જઇ રહ્યું છે. ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04ટકા પાણી ઉપલબ્ધ છે.


  • Follow us on: