પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કતપુરની રોડ ટચ જમીન મૂળ માલિકની પરવાનગી વિના ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે ઉપયોગમાં લઈ બે દિવસ અગાઉ જમીન બારોબાર વેચાણ કરવાનો ઈરાદો રાખીને હિંમતનગરમાં સંહજાનંદ પાર્કમાં રહેતા એક શખ્સે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઈ કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે ગાંધીનગરના ભાટ ગામની સીમમાં આવેલ મધરડેરીની સામે રહેતા મુંજાલ દિલીપકુમાર જાનીએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.19 નવેમ્બરના રોજ હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર સહજાનંદ પાર્કમાં રહેતા રાકેશ મંગળભાઈ રાવળે કતપુરની સીમમાં આવેલ સર્વે 295 (ખાતા નં.359)માં અંદાજે 1,29,31 હે.આર.ચો.મી. તથા સર્વે નં.296 (ખાતા નં.485)માં અંદાજે 1,49,65 હે.આર.ચો.મી. જમીન જે નેશનલ હાઈવે ટચ પર આવેલ છે.










