આગામી તા.22 સપ્ટેમ્બરને સોમવારથી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ગત વર્ષ કરતા આ વર્ષે પ્રાચીન-અર્વાચીન રાસોત્સવના આયોજનની સંખ્યામાં પણ વધારો થયો છે.


જેમાં 32 અર્વાચીન રાસોત્સવ ઉપરાંત 73 પ્રાચીન ગરબી, 573 શેરી ગરબી મળી કુલ 678 જેટલા આયોજન થશે. ખાસ કરીને વધુ વોલ્યુમ સાથે સાઉન્ડ સિસ્ટમ લગાવાય છે તેવા આયોજનો માટે નિયમો અને માર્ગદર્શિકા પોલીસ દ્વારા જાહેર કરાયા હતા. હાઈકોર્ટે નવરાત્રી પૂર્વે ડી.જે.ના ધ્વનિ પ્રદુષણ મુદે પોલીસ પગલાના મુદે ટકોર કરી છે. ત્યારે લોકોની અને મહિલાઓની સલામતિ માટે 1,000 પોલીસ તૈનાત રાખવામાં આવશે.

ડીસીપી ક્રાઈમે જણાવ્યું હતું કે તમામ રાસોત્સવના આયોજન માટે 1,000થી વધુ પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીનો બંદોબસ્ત તૈનાત રખાશે. આ ઉપરાંત પેટ્રોલિંગ કરવામાં આવશે. ખાસ કરીને તમામ આયોજન રાત્રે 12 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાના રહેશે. તેમજ નિયમ અને ડેસીબલ કરતા વધુ અવાજ સર્જતા આયોજકો સામે પગલા લેવામાં આવશે. જેના માટે પોલીસ ડેસીબલ માપતા યંત્રોથી સજજ છે. મહિલા ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાસોત્સવમાં શી-ટીમ પણ ટ્રેડિશન ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં નજર રાખશે.


  • Follow us on: