રાજકોટમાં અત્ર ત્રત અને સર્વત્ર જાણે ભેળસળિયા ખાદ્ય પદાર્થ વેચાતા હોય તેમ એક બે નહિ પણ સાત સાત નમૂનામાં ભેળસેળ મળી છે. દૂધ, પનીર, ફરાળી લોટ, મંચુરીયન બોલ, મુખવાસ સહિતના નમૂનામાં ભેળસેળ મળી આવી છે. મનપાની ફૂડ શાખાએ ભેળસેળીયા ધંધાર્થીઓ સામે કેસ દાખલ કરતા એજયુડિકેટીંગ કેસ ચલાવીને દંડ ફટકારાયા છે.
સોરઠિયા વાડી 80ફૂટના રોડ ઉપર આવેલ અજેન્દ્ર ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂનામાં ફોરેન ફેટની હાજરી મળી આવતા કેસ ચલાવીને પેઢીના સંચાલક વિજયભાઈ વિનોદભાઈ અગ્રાવત અને માલિક રાજેન્દ્ર શીવાભાઈ ઢાંકેચાને રૂ.1લાખનો દંડ ફટકારાયો હતો. ગાંધીગ્રામમાં સત્યનારાયણ શેરીમાં આવેલી હિરવા હેલ્થકેર ધારેશ્વર કૃપામાં તપાસ કરી મવ્હીર ન્યુટ્રીશ્યન ફૂડ સપ્લીમેન્ટમાં મેન્થીકોલ્બામીનની હાજરી મળતા રૂ.42,000નો દંડ ફટકારાયો હતો.










