રાજકોટ મહાનગરપાલિકા (RMC)નું તંત્ર ભ્રષ્ટાચારને લઈને વારંવાર બદનામ થતું રહે છે, ત્યારે મહાપાલિકાના આવાસ યોજના વિભાગે એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરી છે. આવાસ યોજનાના મેનેજરે તેમના વિભાગમાં જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બેનરો લગાવ્યા છે.
લાંચ ન આપવા લોકોને કરાયા જાગૃત
આવાસ યોજના મેનેજર દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટરોનો હેતુ સ્પષ્ટ છે: લોકોને લાંચ આપવા અંગે જાગૃત કરવા. ગરીબ અને મધ્યમવર્ગીય લાભાર્થીઓ કે જેઓ પોતાનું 'ઘરનું ઘર' મેળવવા માટે આવાસ યોજનાના ચક્કરમાં ફસાય છે, તેઓ ઘણીવાર લાંચ આપવા કે લેભાગુ તત્વોના ચક્કરમાં ફસાઈ જાય છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, આવાસ યોજનાના અધિકારીએ સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને બહારના લેભાગુઓ સામે નાગરિકોને સ્વયં જાગૃત થવા અને અન્યોને જાગૃત કરવા માટે આ પહેલ કરી છે.










