ભારત માટે ક્રિકેટ એ માત્ર એક રમત નથી, પરંતુ એક ધર્મ છે. જ્યારે ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બની, ત્યારે આખું ભારત જાણે એક જ સૂરમાં ગુંજી ઉઠ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણ પર DYCM હર્ષ સંઘવીએ ખૂબ જ ભાવુક અને ગૌરવપૂર્ણ રીતે સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
ગલીથી ગ્રાઉન્ડ સુધીની સફર
હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "આ માત્ર એક જીત નથી... એક અહેસાસ છે." આ એ સપનાની જીત છે જે ભારતની સાંકડી ગલીઓમાં ટેનિસ બોલથી રમતા દરેક બાળકે જોયું હોય છે. ભારતના ખૂણે ખૂણે બેટ પકડીને ઉભેલા દરેક બાળકના મનમાં એક જ જઝબો હોય છે: 'એક દિવસ હું પણ ઇન્ડિયા માટે રમીશ.' ગઈકાલે રાત્રે જ્યારે ભારતીય ટીમે વર્લ્ડ કપની ટ્રોફી હવામાં લહેરાવી, ત્યારે એ લાખો બાળકોના સપનાઓ સાકાર થયા હોય તેવી અનુભૂતિ થઈ હતી.













