સુરત જિલ્લામાં ખાતરની અછત અને તેના વધતા ભાવના મુદ્દે કોંગ્રેસ કાર્યકરો દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોને હાલ ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડતો હતો. જેના કારણે તેમના પાક પર ગંભીર અસર થવાની શક્યતા રહેલી છે.
ખાતરના ભાવમાં વધારો અટકાવવા માંગ













