સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે છઠપૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપી હતી. પૂર્વાંચલવાસીઓ દ્વારા આયોજિત આ પૂજામાં પાટીલે માતાજીના આશીર્વાદ લીધા હતા.
સુરતમાં છઠપૂજામાં સી.આર.પાટીલની હાજરી
આ પ્રસંગે પાટીલે છઠપૂજાના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ પૂજા ખૂબ જ કઠિન હોય છે, જેમાં મહિલાઓ ૩૬ કલાક સુધી ઉપવાસ રાખીને છઠ્ઠી માતાજીને પ્રસાદ સ્વરૂપે દૂધની ખીર ચઢાવે છે.સાથે જ, તેમણે બિહારની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વખતે બિહારમાં ૧૦મી વખત નીતીશકુમારની (NDAની) સરકાર બનવા જઈ રહી છે."










