સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા આસ્તિક નગરમાં એક યુવકની ઘાતકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લિંબાયતના આસ્તિક નગરમાં રહેતા એક યુવક પર અચાનક અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંક્યા હતા.
એક યુવક પર અજાણ્યા શખ્સો એ ચપ્પૂ વડે હુમલો કર્યો













