મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વિવાદાસ્પદ મેસેજીસને કારણે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે સળવળાટ અને રોષ જોવા મળી રહ્યો છે. પહેલાં સુરતમાં 'કપલ સ્વેપિંગ'ની ઘટના સામે આવી હતી અને હવે સોશિયલ મીડિયામાં ગરબા પાર્ટનર ભાડે મળશે અંગેના મેસેજીસ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નવરાત્રી પર્વ પહેલાં 'ભાડે ગરબા પાર્ટનર'ના વાયરલ મેસેજ
સ્થાનિક સામાજિક આગેવાનો અને ધાર્મિક સંગઠનોના જણાવ્યા અનુસાર, આ મેસેજીસ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને શ્રદ્ધા પર સીધો પ્રહાર છે. આજની યુવા પેઢી જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાન તરફ સકારાત્મક રીતે આગળ વધી રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત મનોવૃત્તિ ધરાવતા લોકો યુવાધનને ગેરમાર્ગે દોરવા માટે આવા અનૈતિક પ્રચારો કરી રહ્યા છે.

