સુરત શહેરમાં ખાડીપૂરના પાણી ઓસરવાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે.ખાડીપૂરના કારણે શહેરમાં કુલ 22 જેટલા મુખ્ય રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.જેમાંથી પાણી ઓસરતાં 18 રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.હાલમાં માત્ર 6 રસ્તાઓ બંધ છે, જ્યાં પણ પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે.
બંધ થયેલા રસ્તા ફરી ધમધમશે
ઓલપાડ-કીમ સ્ટેટ હાઈવે,વડોલી પાસેનો મુખ્ય માર્ગ તેમજ કિમ નદીના પાણી ઓસરતાં ઓલપાડથી અંકલેશ્વર અને નેશનલ હાઈવેને જોડતો માર્ગ ફરી શરૂ થયો છે.જેનાથી સુરત અને ભરૂચ જિલ્લા વચ્ચેનો વાહનવ્યવહાર પૂર્વવત થતાં લોકોને મોટી રાહત મળી છે.પૂરમાંથી પાણી ઓસર્યા બાદ શહેરમાં ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાઈ જતાં રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા (SMC)ની ટીમો કામે લાગી છે.SMC દ્વારા સફાઈ ઝુંબેશની સાથે સાથે વિવિધ વિસ્તારોમાં મેડિકલ વાન અને આરોગ્ય ટીમો તેનાત કરી દેવામાં આવી છે.
